પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહી નહીં લેવા બાબત તે કથનોનો પુરાવામાં ઉપયોગ બાબત - કલમ:૧૬૨

પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહી નહીં લેવા બાબત તે કથનોનો પુરાવામાં ઉપયોગ બાબત

(૧) આ પ્રકરણ હેઠળની પોલીસ તપાસ દરમ્યાન પોલીસ અધિકારી સમક્ષ કોઇ વ્યકિતએ કરેલુ કથન લખી લેવામાં આવ્યુ હોય તો તેના ઉપર નિવેદન કરનાર વ્યકિતની સહી લેવામાં આવશે નહીં તેમજ પોલીસ ડાયરીમાનુ કે બીજુ કોઇ કથન કે તેની લેખિત સહી લેવામાં આવશે નહીં તેમજ પોલીસ ડાયરીમાનુ બીજુ કોઇ કથન કે તેની લેખિત નોંધ અથવા તે કથન કે તેની લેખિત નોંધનો કોઇ ભાગ તે કથન કરવામાં અવોલ હોય તે સમયે જેની પોલીસ તપાસ ચાલતી હોય તે ગુનાની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી આમા હવે પછી ઠરાવ્યુ હોય તે સિવાય કોઇ પણ હેતુ માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં

પરંતુ ઉપર જણાવ્યા મુજબ જેનુ કથન લખી લેવામં આવ્યુ હોય તે સાક્ષીને ફરિયાદ પક્ષ તરફથી એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં જુબાની આપવા બોલાવેલ હોય ત્યારે કથનનો કોઇ ભાગ તેનો હોવાનુ વિધિસર સાબિત થાય તો ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની કલમ ૧૪૫માં જણાવેલી રીતે તે સાક્ષીને જુઠો સાબિત કરવા માટે આરોપી અને કોટૅની પરવાનગીથી ફરીયાદ પક્ષ તરફથી તેનો ઉપયોગ કરી શકશે અને એ કથનના કોઇ ભાગનો એ રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સાક્ષીની ઊલટ તપાસમાં ઉલ્લેખાયેલી કોઇ બાબતનો ખુલાસો કરવા પુરતો તેની ફેરતપાસમાં પણ તેના કોઇ બીજા ભાગનો ઉપયોગ કરી શકાશે (૨) આ કલમનો કોઇ મજકૂર ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની કલમ ૩૨ના ખંડ (૧)ની જોગવાઇઓમાં આવી જતા કોઇ કથનને લાગુ પડતો હોવાનુ અથવા તે અધિનિયમની કલમ ૨૭ની જોગવાઇઓને અસર કરતો હોવાનુ ગણાશે નહીં

સ્પષ્ટીકરણઃ- પેટા કલમ (૧)માં ઉલ્લેખેલલ કથનમાં કોઇ હકીકત કે સંજોગ જણાવેલ ન હોય અને તેના સંદભૅ જોતા તેવુ જણાવવુ મહત્વનુ અને બીજી રીતે પ્રસ્તુત જણાતુ હોય તો તેવુ ન જણાવવુ જુદ્દ બોલવા બરાબર ગણી શકાશે અને તે ચોકકસ સંદભૅમાં આવુ ન જણાવવુ જુઠુ ગણાય કે કેમ તે પ્રશ્ન હકીકતનો પ્રશ્ન બનશે